Abtak Media Google News

આજે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૧૯મી જન્મજયંતી નિમિતે દેશભરમાં વિવિધ આયોજનો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હસ્તે વારાણસી ખાતે સંગઠન પર્વ-૨૦૧૯ સંદર્ભે સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રાથમિક સભ્ય નોંધણીનું કાર્ય શરૂ થનાર હોય ત્યારબાદ દેશભરની સાથોસાથ દેવભૂમિ દ્વારકામાં પણ ખંભાળીયા ખાતે આજે સવારે ૧૦ કલાકે આહિર સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાનું સંગઠન પર્વ તેમજ સદસ્યતા નોંધણી કાર્ય યોજાનાર છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ તરફથી કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લાનાં પૂર્વ અને વર્તમાન સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પદાધિકારીઓ, મંડળનાં હોદેદારો, મોરચા તથા મંડળનાં હોદેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાનાં સભ્યો ઉપસ્થિત રહેનાર હોય મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો, હોદેદારોને ઉપસ્થિત રહેવા જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા તેમજ સંગઠન પર્વનાં જિલ્લા ઈન્ચાર્જ ખીમભાઈ જોગલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.