Abtak Media Google News

સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલાના અધ્યક્ષસને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.આ બેઠકમાં સરકારી બાકી લેણાની વસુલાત ગંભીરતાી લઈ ખાસ ઝૂંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની ચર્ચા કરી શ્રી ઝાલાએ સરકારી લેણાની વસુલાત ઝડપી બનાવવા પણ સૂચના આપી હતી.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી ઋત્વિક મકવાણાએ રોડ- રસ્તા, પાક વિમા, મનરેગા હેઠળ યેલ કામો વગેરે પ્રશ્નોનો  રજુ કર્યા હતા. શ્રી ઝાલાએ જે તે વિભાગના અધિકારીશ્રીઓને પ્રશ્નોના નિકાલ કરવાની સૂચના આપી હતી.  આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કલ્પનાબેન ધોરીયા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.