Abtak Media Google News

દામનગર સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ ટેબ્લેટ વિતરણ સમારોહ યોજાયો  સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ માં રાજ્ય સરકાર  ની કોલેઝ ના પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ઓ ને રૂપિયા એક હજાર ના ટોકન દરે ટેબ્લેટ આપવા ની યોજના અંતર્ગત ટેબ્લેટ વિતરણ ના કાર્યક્રમ નું આયોજન ગુરુકુલ ના પ્રમુખ  સ્વામી વિષ્ણુચરણદાસજી નિયામક સ્વામી  ચંદ્રપ્રસાદદાસજી શાસ્ત્રી  આનંદસ્વરૂપદાસજી કોલેઝ ના આચાર્ય  કોલડીયા સાહેબ ની હાજરી માં થયું હતું સ્વામીજી દ્વારા ટેકનોલોજી ના ફાયદા ગેરફાયદા વિશે વિદ્યાર્થી ને પ્રેરક માર્ગદર્શન આપવા માં આવ્યું હતું શાસ્ત્રી આનંદ સ્વરૂપદાસજી એ આધુનિક યુગ માં માનનીય પ્રધાન મંત્રી  નરેન્દ્રભાઇ મોદી માનનીય મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી ના મેક ઇન ઇન્ડિયા અને ન્યુ વિઝન ઇન્ડિયા ના સ્વપ્ન ને સાકાર કરવા હકારાત્મક વિચાર સાથે વિદ્યા અભ્યાસ માં ટેકનોલોજી નો મહત્તમ ઉપીયોગ કરી સફળતા નો સંદેશ આપ્યો હતો આચાર્ય  કોલડીયા સાહેબ દ્વારા દીપાવલી પર્વ ની શુભેચ્છા સાથે કાર્યક્રમ ની આભાર વિધી કરવામાં આવી હતી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રો.કાકડીયા પ્રો.સરવૈયા પ્રો. નીતિન ગૌસ્વામી એ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.