Abtak Media Google News

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ર૮ વર્ષથી સમાજના છેવાડાના માનવીને પણ યાદ કરી તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરે છે. તેની આ પ્રવૃતિથી પ્રભાવીત થઇ સ્વામી સચ્ચિદાનંદ પ્રેરિત મયુર અન્નપુર્ણા રથ બોલબાલા ટ્રસ્ટને લોકાર્પણ વિધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમની પુજન વિધીનો કાર્યક્રમ કું. શ્યામા ઉ૫ાઘ્યાયના હસ્તે રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્વ. મયુરભાઇના ભાઇ અરવિંદભાઇ,  અનીલભાઇ દેસાઇ એડવોકેટ, કમલેશભાઇ શાહ, એડવોકેટ, ગોપાલભાઇ ઠાકર રેસ્ટોરેન્ટ ના માલીક વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા પરિવાર વતી અનીલભાઇએ જણાવેલ કે મને ખાત્રી છે. કે મયુરભાઇના નામથી આપવામાં આવેલ આ અન્નપૂર્ણા રથ કે કોઇ કાર્ય અટકશે નહી.

ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો ને સંસ્થા તરફથી યંત્ર તથા ભગવાન મહાવીર અને મહાવીરા ની તસ્વીરવાળી છબીઓ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના અંતે સંસ્થાના ટ્રસ્ટી જયેશ ઉપાઘ્યાયે જણાવ્યું હતું કે હવે પછી સંસ્થા તેની સેવાકીય પ્રવૃતિનો વિસ્તાર વધારી મોરબી ખાતે પ્રવૃતિ શરુ કરવા જઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.