Abtak Media Google News

આજરોજ શ્રી પ્રાર્થના સહિયર મહિલા મંડળ દ્વારા મરચા પીઠ રેન બસેરામાંં રહેતા લાભાર્થીઓને તથા આજુબાજુના લતાવાસીઓ માટે કોરોના વાઇરસની મહામારીથી બચવા માસ્ક તથા આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાયું હતું.

તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેકટ શાખાના અધિકારી જાઁબુકિયા મુનીયા તથા દિપ્તીબેનની ઉ૫સ્થિતિમાં તમામ હાજર લાભાર્થીઓ તેમજ લતાવાસીઓને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટના પ્રમુખ પ્રભાબેન પારઘી, કાર્તિકભાઇ શર્મા, રાકેશભાઇ કાચા તેમજ પ્રાર્થના સહિયરના પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.