Abtak Media Google News

કર્મચારીઓએ ઘરે ઘરે જઈ વિનામૂલ્યે વિતરણ કર્યું

દીવ પ્રશાસન દ્વારા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે અત્યાર સુધી અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે જેથી કરીને હજુ સુધી દીવમાં કોરોના નો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી આ માટે દીવ  પ્રશાસન અને દિવના લોકોની સતર્કતા ખૂબ જ પ્રશંસનીય છે.

દીવ જિલ્લા કલેકટર સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ ને અટકાવવાના પ્રયાસો અંતર્ગત વધુ એક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દીવ સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા દીવમાં ઘરે ઘરે જઈને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ની હોમયોપેથીક દવા નું મફતમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.