કેશોદ તાલુકાનાં કોયલાણા ગામે ૭૦ જેટલા ગ્રાહકોને સરકારની ઉજજવલા યોજના હેઠળ ગેસ કનેકશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેશોદનાં વરિષ્ઠ પત્રકાર પ્રકાશભાઈ દવે ગેસ એજન્સી સંચાલક હમીરભાઈ ભેડા તથા કોયલાણા ગામનાં સરપંચ સહિતનાં અગ્રણી બહેનો ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેશોદ ગેસ એજન્સીનાં સંચાલક હમીરભાઈ ભેડાએ ગ્રામ્ય વિસ્તારમાં માતાઓ અને બહેનોની વેદના સમજનારા આપણા દેશનાં વડાપ્રધાન એક દિવસ કોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓની નજર ખુલ્લા રોડ પર બરતણ દ્વારા ચુલામાં ફુંકો મારી રસોય કરતી માતા પર પડી અને તેઓએ આ વેદનાને પોતાની સંવેદના બનાવી અને મનોમન નકકી કર્યું કે મારા દેશની દરેક માતાઓને ત્યાં ગેસનું કનેકશન હોવું જોઈએ. જેથી તેઓએ ઉજજવલા યોજના હેઠળ ગરીબ અને નિરાધાર લોકોને પણ વિલનામુલ્યે ગેસ સિલિન્ડર આપવા માટે ઉજવલા યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ પુરા દેશમાં અત્યાર સુધીમાં કુલ સાત કરોડ અને ૫૦ હજાર કનેકશન આપ્યા છે અને હવે આ યોજના હેઠળ માત્ર ૫૦ હજાર કનેકશન દેવાન બાકી રહ્યા છે તેવી માહિતીથી લોકોને માહિતગાર કર્યા હતા અને ગ્રાહકોને ઉજવલા યોજના હેઠળ ગેસનો ઉપયોગ કેમ કરવો તે વિશેની માહિતી આપી હતી. આ પ્રસંગે કોયલાણા ગામની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
Trending
- 23 એપ્રિલે ચૈત્ર પૂનમની રાત્રે આકાશમાં દેખાશે ‘પિંક મૂન’, જાણો શું છે તેનું મહત્વ
- પતિ વિવેક દહિયા હોસ્પિટલમાં દાખલ દિવ્યાંકા ત્રિપાઠીને મળવા પહોચ્યા
- બ્લેક ફ્રાઇડે : યુદ્ધની દહેશત વચ્ચે શેરબજારમાં મંદીનો માહોલ
- કામદા અગિયારસના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ
- પહેલા તબક્કામાં કેટલા મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે?
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે