Abtak Media Google News

જામનગરમાં માનવ ઉત્થાન સેવા સમિતિ શાખા દ્વારા સંસ્થાના સંસ્થાપક સદ્ગુરૃ સતપાલજી મહારાજની પ્રેરણાથી જામનગર શાખાના પ્રભારી મ.કેસરીબાઈજી, મ.ભાવનાબાઈજી, સેવાદળ, યુવાદળ, ભાવિકો, અનુયાયીઓ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ લાખાભાઈ પીંડારીયા, જીઈબીના ડેપ્યુટી ઈજનેર ચૌહાણ, સંજયભાઈ પાંભરીયા, જાફડાભાઈ, રીતેશભાઈ સોલંકી વિગેરે દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી જરૃરિયાતમંદ પરિવારોને વિતરણ કરવાનું સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.

લોકડાઉન સંદર્ભમાં સરકારની સૂચનાઓ પ્રમાણે તમામ સાવચેતી સાથે ફૂડપેકેટ તૈયાર કરવામાં આવ્યા હતાં અને કોરોના મહામારીમાં લોકડાઉનમાં ભૂખ્યા અને જરૃરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટ પહોંચાડવાની સેવા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.