Abtak Media Google News

વલસાડના ભિલાડ ખાતે રાજ્‍ય આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે વનબંધુ ૧૦ મુદ્દા કાર્યક્રમ હેઠળ કૃષિ વૈવિધ્‍યકરણ યોજના અન્‍વયે ૯૮ જેટલા આદિજાતિ ખેડૂતોને બિયારણ-ખાતરકીટસ વિતરણ કરવામાં આવી હતી. આ કીટમાં દૂધી, કારેલાં, ભીંડા, ટામેટાં અને રીંગણના બિયારણનો સમાવેશ થાય છે.

22 6 18 Bhilad Kit Vitran 2 1

ભિલાડ જી.એસ.એફ.સી.ફર્ટિલાઇઝર ખાતે યોજાયેલા કીટ્‍સ વિતરણ સમારોહ અવસરે રાજ્‍ય આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર આદિજાતિ ખેડૂતોના ઉત્‍કર્ષ માટે રાજ્‍ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જે પૈકી કૃષિ વૈવિધ્‍યકરણ યોજના હેઠળ આદિજાતિના ખેડૂતોને શાકભાજી વાવેતર માટે બિયારણ-ખાતર કીટ આજે આપવામાં આવી છે.

Bhilad - Kit Vitran
Bhilad – Kit Vitran

બિયારણ આપવાની સાથે માર્ગદર્શન અને તેનો પાક તૈયાર થયા બાદ તેના માર્કેટિંગની વ્‍યવસ્‍થા પણ રાજ્‍ય સરકાર કરે છે. ખેતીની આવક બમણી કરવા માટે ખેતીમાં પાકનું રોટેશન ચાલુ રાખવા, આધુનિક પધ્‍ધતિથી ખેતી કરવા, પ્રગતીશીલ ખેડૂતો પાસેથી માર્ગદર્શન મેળવવા તેમજ માટીનું પરીક્ષણ કરાવી કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્‍યા અનુસાર ખાતરનો ઉપયોગ કરવા હિમાયત કરી હતી. જમીનના છેડા સાચવણી માટે સાગના રોપા રોપવા જણાવ્‍યું હતું.

22 6 18 Bhilad Kit Vitran

પ્રાયોજના વહીવટદારશ્રી બી.સી.ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધનમાં કૃષિ વૈવિધ્‍યકરણ યોજનાની વિસ્‍તૃત જાણકારી આપી હતી. આ અવસરે ટી.એસ.પી.ના મદદનીશ કમિશનર ઠાકોર, જી.એ.ટી.એલ.ના હિમાંશુ ભારદ્વાજ, જી.એસ.એફ.સી.ના અધિકારીઓ, ગ્રામજનો, ખેડૂતો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.