Abtak Media Google News

પ્રગતિશીલ સરકારમાં નગરપાલિકા – મહાનગરપાલિકાઓની પણ પ્રગતિ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશ: મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી ‘અબતક’ની મુલાકાતે

તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને રાજયમાં છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યારે સતત બીજી વખત રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક, પ્રગતિશીલ સરકાર દ્વારા રાજયનો સર્વાગિ વિકાસ થઇ રહ્યો છે. અને દેશમાં ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવીને મળી રહી છે અને સામાજીક સમરસતાની સાથો સાથ સૌનો સાથ અને સૌનો વિકાસ જોવા મળી રહ્યો છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકારના ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે ધનસુખ ભંડેરી છેલ્લા ત્રણ વર્ષથી જવાબદારી સંભાળી રહ્યા છે.

ત્યારે ત્રણ વર્ષમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રર હજાર કરોડ (૨૨૦૨૨.૫૩) ની ગ્રાન્ટ રાજયની ૧૬૨ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકામાં જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર અને જુનાગઢને ફાળવી લોકોને પ્રાથમીક સુવિધાઓ માળખાકિય સુવિધાઓ અને આંતરમાળખાયિક સુવિધાઓ આપવામાં સતત જાગૃત ચેરમેન તરીકે ખ્યાતિ પામ્યા છે. ત્યારે ફરીથી ધનસુખભાઇ ભંડેરીને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે રાજયની ભાજપ સરકારે જવાબદારી સોંપી છે. તેમ તેઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવાયું છે.

વધુ માહીતી આપતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ભાજપ કે જનસંધના પાયામાં રાષ્ટ્રવાદની વિચારધારા સાથે દેશનું ગૌરવ વધે, છેવાડાના માનવીને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાનો લાભ મળે તે વાત પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના દિલમાં પડેલી છે. ત્યારે છેલ્લા રર વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સર્વાગી શહેરી વિકાસ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને મહત્વના વિકાસ કામો માટે વિવિધ

યોજના હેઠળ જેમા પ્લાન યોજનામાં સ્વર્ણીય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, નિર્મળ ગુજરાત, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, ગુડ ગર્વનન્સ યોજના, નગર વિકાસ શ્રીનિધી લોન યોજના, મિશન મંગલમ યોજના, વાજપાયી નગર વિકાસ યોજના, મિશન મંગલમ યોજના હેઠળના સખી મંડળો, શૌચાલયની સુવિધા, સ્માર્ટસીટી, અમૃત સીટી તેમજ નોન પ્લાન યોજનામાં જમીન મહેસુલ બીનખેતી  આકાર ગ્રાન્ટ યોજના શિક્ષણ ઉપકર ગ્રાન્ટ, નગરપાલિકા ઓકટ્રોય વળતર ગ્રાન્ટ, ચુંટણી સહાયક અનુદાન, રોડ રીસરફેસીંગ ગ્રાન્ટ, જનસેવા કેન્દ્ર ગ્રાન્ટ, નાણા પંચની ગ્રાન્ટ તેમજ અન્ય યોજનાઓમાં નાણાપંચ, શહેરી વિકાસ વર્ષ, ગુજરાત અર્બન ઇન્ફ્રાસ્ટ્રકર લોન, વાજપેયી નગરવિકાસ યોજના આમ જુદા જુદા હેડ હેઠળ પ્રતિવર્ષ જેમાં પ્રથમ વર્ષે ૮૧૮૬.૭૧ કરોડ, બીજા વર્ષે ૬૩૮૫.૮૦ કરોડ, અને ત્રીજા વર્ષે ૭૪૫૦.૦૨ કરોડ, આમ કુલ મળી રર હજાર કરોડ (૨૨૦૨૨.૫૩) રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ફાળવી સંબંધીત વિકાસ કામોની સમીક્ષા માટે ઝોન વાર બેઠકો પણ યોજવામાં આવી હતી.

અને આ ગ્રાન્ટથી લધુતમ સાધનોનો મહતમ ઉપયોગ થાય તે માટે પદાધિકારીઓ અને અધિકારીઓનો તબકકાવાર સેમીનાર પણ ગોઠવવામાં આવેલ હતો. આમ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ  રુપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા આવનારા સમયમાં નગરપાલિકા અનૈ મહાનગરપાલિકામાં હજુ વિકાસ કાર્યો બાકી છે તે પ્રક્રિયા હાથ ધરાશે. આમ અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.