Abtak Media Google News

ધોરાજીના ઉપલેટા રોડ પર ભાદરના પુલ ઉપરથી ઇકો વાન પલ્ટી ખાઇ જતા એકનું કરુણ મોત નિપજયું છે.

બે પુત્રો અને એક પુત્રીના પિતા વિહોણા નવાગઢથી સુપેડી પશુ ડોકટરને સવારે લેવા માટે નવાગઢથી ઇકો કાર જીજે ૩ ૫૬૪૭ લઇને નવાગઢથી સુપેર તરફ જતા અને ધોરાજીથી આગળ ભાદર નદીના પુલ પરથી ઇકો કાર ધડાકા ભેર પડી ગએલ હોય તે અંગેની જાણ ડી.વાય.એસ.પી. જેઓ બાઇ રોડ નીકળેલ હતા.

અને તેઓએ તાત્કાલીક ધોરાજીના પી.આઇ. ઝાલાને જાણ કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચેલ અને આ અંગે ૧૦૮ માં હુશેનભાઇ ગનીભાઇ ખાટકી ને ધોરાજી સરકારી દવાખાને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ આ બનાવમાં ૧૦૮ ના પાયલોટ ભગીરવસિંહ અને એએમટી રાજુભાઇ પોતાની સેવાઓ આપેલ આ ઘટનામાં ઇકો કારનો બુકડો બોલી ગએલ હતો આ બનાવ અંગે પીઆઇ ઝાલા પીએસઆઇ બાટવા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગએલ અને ડેડબોડીને પીએમ માટે ધોરાજીની સરકારી દવાખાને ખસેડાઇની આ બનાવની જાણ થયા મુસ્લીમ સમાજના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.