Abtak Media Google News

ધ્રાગધ્રાનો રાજમહેલ ફરી એક વખત ત્રસ્કરોના ટારગેટ પર આવ્યો જુના 15000ની કિંમતનુ ચાંદી લઇત્રસ્કરો ફરાર.

ઝાલાવાડ પંથકમા નામચીન એવા ધ્રાગધ્રાના રાજમહેલમા ફરી એક વખત ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમા ત્રસ્કરો દ્વારા પૌરાણીક રથમાથી રુપીયા 15000ની કિંમતનુ ચાંદી લઇ ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. ત્યારે સમગ્ર ઘટના બાબતે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જીલ્લામા છેલ્લા બે વષઁમા આ ત્રીજો રાજમહેલ ચોરીનો બનાવ છે.

સૌ પ્રથમ બે વષઁ પહેલા પણ ત્રસ્કરોએ ધ્રાગધ્રાના રાજમહેલથી જ ચોરીની શરુવાત કરી હતી જેમા કરોડોના સોના-ચાંદીની કિંમતી ચીજ-વસ્તુઓની ચોરી થઇ હતી વળી આ ઘટના ધ્રાગધ્રા પંથકમા ટોપ ઓફ ધી ટાઉન બનતા પોલીસને તાત્કાલીક ધોરણે કાયઁવાહી કરી ચારથી પાંચ જેટલા દેવીપુજક શખ્સને ઝડપી પાડવામા આવ્યા હતા જે તે સમયે રાજમહેલની ચોરીમા કરોડોની એંટીક ચીજવસ્તુઓ અને સોના-ચાંદીના આભુષણોનો મુદ્દામાલ હજુ પણ પોલીસને હાથ નથી લાગ્યો અને તે સમયે માત્ર થોડો-ઘણો મુદ્દામાલ હાજર કરી તમામ પ્રકરણ થાળે પાડ્યુ હતુ. થોડા મહિના બાદ જ વળી વઢવાણના રાજમહેલમા પણ ચોરીનો બનાવ બનતા લાખ્ખોના આભુષણો ચોરી થયા હતા તે સમયે પણ ધ્રાગધ્રાના જ કેટલાક દેવીપુજક શખ્સોને પોલીસે ઝડપી પાડી સાથે એક અમદાવાદના વેપારીને પણ પકડી પાડ્યો હતો.

વઢવાણ રાજમહેલની ચોરીના મામલામા ઝડપાયેલ ધ્રાગધ્રામા ચોરીનો હીસ્ટ્રીચીટર કાટીયા નરશીભાઇ દેવીપુજક હાલમાજ જેલથી બહાર આવ્યો છે અને વળી ગઇકાલે ધ્રાગધ્રા રાજમહેલમા ચાંદીની ચોરી થઇ હોવાનુ ખુલ્યુ હતુ. ત્યારે આ બાબતે સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જાડેજા દ્વારા જણાવાયુ હતુ કે ધ્રાગધ્રાના રાજમહેલમા કેટલીક એન્ટીક પૌરાણીક ચીજ-વસ્તુઓ છે જેમા જુના જમાનાના રથ પર ચાંદી મઢેલુ હતુ. અહિ ત્રસ્કરો દ્વારા રાજમહેલમા પ્રવેશ કરી ચાંદીથી મઢેલા રથમાથી જુની કિંમતનુ રુપિયા 15000નુ ચાંદી ઉખાડીને લઇ ગયા હોવાની ફરીયાદ રાજમહેલના મેનેજર સુધીરભાઇ પટેલ દ્વારા સીટી પોલીસ સ્ટેશન લખાવાઇ છે. જોકે હાલના સમયમા આ ચાંદીની કિંમત લાખ્ખો રુપિયા થઇ શકે છે. ત્યારે સીટી પોલીસ દ્વારા ફરીયાદ હાથ ધરી ઘટના સ્થળે તપાસ કરી ચાંદીની ચોરી કરનાર ત્રસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

આ તરફ વારંવાર થતી રાજમહેલની ચોરી અંગે અંદરના સ્ટાફનો જ કોઇ વ્યક્તિ ત્રસ્કરો સાથે મળેલો હોવાની પણ પોલીસ શંકા વ્યક્ત કરી રહી છે. તેવામા હાલ તો રાજમહેલમા ફરી એક વખત ચોરીના બપાવથી રાજમહેલનુ તંત્ર પોતાની આબરુ જવાના ડરથી સમગ્ર મામલો લોકો સમક્ષ ન આવે તેવો પ્રયત્ન કરતા પણ કેટલીક શંકા ઉપજે છે. ત્યારે સીટી પોલીસ દ્વારા ફરી એક વખત થયેલી રાજમહેલ ચોરીની ફરીયાદ હાથ ધરી ત્રસ્કરોને શોધવાની કવાયત શરુ કરી દીધી છે.

–>વારંવાર થતી રાજમહેલમા ચોરીના બનાવથી કોઇ અંદરનો જ શખ્સ ત્રસ્કરો સાથે મળેલો હોવાની આશંકા.

–>અગાઉ પણ આ રાજમહેલમા ચોરીનો બનાવ બન્યો હતો જેમા લાખ્ખોની કિંમતની ચીજ-વસ્તૂઓની ચોરી થઇ હતી

—>અગાઉ ચોરીના બનાવમા કેટલાક પોલીસકમીઁઓએ પણ રાજમહેલના મુદ્દામાલમાથી પોતાનુ ભાથુ ભયુઁ હોવાની ચચાઁ વહેતી થઇ હતી.

–>ધ્રાગધ્રા તથા વઢવાણ જેવી જ મોડસ ઓપરેન્ડીથી ચોરી થયાનુ પોલીસ દ્વારા જણાવાયુ હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.