Abtak Media Google News

મોટા ગુંદાળા ખાતે ગુ‚રૂવારના રોજ પ્રસાદી તેમજ યજ્ઞ સહિતના ધામેલીયા પરિવારના કાર્યક્રમો

ધામેલીયા વાળંદ ગ્રુપ દ્વારા ધામેલીયા પરિવારના સુરાપુરા ધરમશીબાપા તથા સતીમા (મોટા ગુંદાળા) મુકામે તા.૨૨ને ગુ‚રૂવારના રોજ સવારે ૭ કલાકે યજ્ઞ તેમજ બપોરે ૧૧:૩૦ કલાકે પ્રસાદીનું મોટા ગુંદાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે, ધામેલીયા કુટુંબના આયોજનમાં પરિવારના સભ્યો ખૂબજ સારો સહકાર આપી રહ્યાં છે.

સમસ્ત ધામેલીયા પરિવાર તેમજ ધામેલીયા યુવા ગ્રુપ દ્વારા હવન તેમજ પ્રસાદીના કાર્યક્રમમાં સુરાપુરાદાદાની કૃપા હશે તો વર્ષો વર્ષ કારતક સુદ-૧૪ના રોજ આ પ્રકારનું આયોજન કરવાનું નકકી કર્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા કિશોરભાઈ, મેહુલભાઈ, રજનીભાઈ, આશિષભાઈ, ચેતનભાઈ, જીતુભાઈ, શશીકાંતભાઈ, વિશાલભાઈ, પંકજભાઈ, રજનીભાઈ, જીવણભાઈ, લલીતભાઈ, ભીખુભાઈ, ઓધવજીભાઈ, રમેશભાઈ, મનોજભાઈ, ચુનીભાઈ, કનુભાઈ, હંસરાજભાઈ સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.