Abtak Media Google News

વિદેશ અભ્યાસ માટે 15 લાખ-ટ્યૂશન ફી પેટે 15 હજારની મદદ મળશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના 58 જ્ઞાતિઓના દોઢ કરોડ સવર્ણો માટેની વિવિધ યોજનાઓ જાહેર કરી છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે બિન અનામત વર્ગ માટે સરકારે કેટલીક યોજના બનાવી છે. સરકાર દ્વારા ધોરણ 12 બાદ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયાની સાદા વ્યાજે લોન આપવામાં આવશે.

જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 15 હજારની ટ્યૂશન સહાય પણ અપાશે.આ ઉપરાંત સ્વરોજગાર યોજના હેઠળ ઓફિસ ખરીદવા માટે પણ સરકાર સહાય કરશે. તેમજ ભોજન સહાય યોજનાનો લાભ પણ મળશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમની સહાય પણ પુરી પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.