ભારતમાં સદીઓથી લોકો પોતાની માન્યતા, રીવાજ, પરંપરા, જ્ઞાતિપ્રથા, ધાર્મિક ગ્રંથોના ઉપદેશો આધારે ઉજવણી કરતા સૌ નજરે જોઈએ છીએ. દેશને પાછલી સદીમાં ધકેલવાનો પ્રયાસ થતો હોય ત્યારે જાગૃતોને દુ:ખ થાય તે સ્વાભાવિક છે. તેવો જ બનાવ ગાંધીનગરના રૂપાલ ગામે પલ્લી ઉજવણી નોરતાના નવમાં દિવસે શ્રદ્ધાળુઓ માનતા પ્રમાણે માતાજીને ઘી ચડાવે છે. ગાંધીનગરના રૂપાલ ગામે સદીઓથી માતાજીને અભિષેકરૂપે શુદ્ધ ઘી લાખો કિલોમાં ચડાવાય છે તે ધૂળમાં અને પગતળે કચડાય છે. માતાજીને પ્રતિક ચડાવાઈને વધેલું ઘી જરૂરીયાતમંદને આપવામાં આવે તો મહાયજ્ઞનું કાર્ય ગણાય. સરકાર હસ્તક્ષેપ કરી શ્રદ્ધાળુઓને સમજાવી કાયમી ઉકેલ લાવે તે માટે જાથાએ રાજકોટ ખાતે આવેદનપત્ર પાઠવી માંગ કરી છે. જાથાના ચેરમેન જયંત પંડયાએ વધુમાં જણાવ્યું કે જે મંદિરના વહીવટમાં મામલતદાર, સરકાર હોય તેની નજર સામે જ લાખો કિલો ઘી રસ્તામાં ધૂળમાં ઢોળાઈ જાય, કરોડો રૂપિયા વેડફાય જાય તે બચાવવાની રાજયની નૈતિક ફરજ છે. જયંત પંડયા સહિતનાઓએ રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી