Abtak Media Google News

રાજુલાના યુવા આગેવાન રસિક ચાવડા, અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી, મહેસુલ વિભાગને પત્ર દ્વારા રજૂઆત

કોરોના વાઈરસ નાં કારણે બેરોજગારીનું પ્રમાણ પ્રતિ દિન વધી રહ્યું છે તેમજ સામાન્ય પરિવારમાં ર્આકિ ભીંસ પણ વધી રહી છે ત્યારે સરકારી જમીનો ખેતી માટે ફાળવવા માટે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલા ના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી તા મહેસુલ વિભાગ ને પત્ર લખતા જણાવ્યું હતું કે કોરોના વાઈરસ મહામારી નાં કારણે મોટા ભાગના ધંધા રોજગાર ને માઠી અસરો પડી છે તેમાં શહેરી વિસ્તારમાં બહોળા પ્રમાણમાં લોકોને રોજગારી પૂરાં પડતાં કાપડ ઉદ્યોગ, હિરા ઉદ્યોગ, ટેક્ષ્ટાઈલ ઉધોગ સહિતના મોટાભાગના ઔધોગિક એકમો ને બહુ મોટાં પ્રમાણમાં નુકશાન યું છે તેનાં કારણે ધણાં પરિવારો બેરોજગાર બન્યા છે તો ધણાં પરિવારો શહેરમાં કોરોના નાં ભયનાં કારણે તા બેરોજગાર બનતા ગામડાઓમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે રાજ્યના મોટાભાગના ગામડાઓમાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે અને બહુ મોટાં પ્રમાણમાં લોકોને રોજગારી પૂરી પાડે છે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ઉધોગો ને સરકારી પડતર જમીનો તા ખરાબાની જમીનો સામાન્ય ભાવોમાં ફાળવવામાં આવે છે જો આવી જ સરકારી જમીનો ખેતી વિષયક હેતુ માટે ફાળવણી કરવામાં આવે તો ગ્રામ્ય સ્તરે વિશાળ પ્રમાણમાં રોજગારી નું નિર્માણ શે જેી બેરોજગારીનાં પ્રમાણમાં પણ ઘટાડો આવશે શહેરો તરફ રોજગાર માટે દોટ મુકતાં પરિવારો ગ્રામ્ય વિસ્તારોમાં સ્તિ શે તો તેમનાં વૃધ્ધ માતા પિતા ને પણ પરિવારજનો સો રહેવા મળશે  આી ગુજરાત રાજ્ય સરકાર નાં મહેસૂલ વિભાગ નાં ખેતી વિષયક હેતુ માટે સરકારી પડતર જમીનના નિકાલ બાબત વિવિધ ઠરાવો મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં  બેરોજગારો અને જરૂરીયાતમંદ પરિવારોને સરળતાી ખેતી લાયક ૧૦-૧૦ વીઘા જમીનો મળી શકે તે માટે તાત્કાલિક ધોરણે મહેસૂલ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ ને સૂચના આપવામાં આવે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.