Abtak Media Google News

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે ચેન્નઇ પહોંચ્યા છે. અહીંયા કેજરીવાલે ચેન્નઇના અભિનેતા કમલ સાથે મુલાકાત કરી. તમિલનાડુમાં રાજકીય ગરમાવા વચ્ચે હસન સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી પાર્ટી લોન્ચ કરવાની તૈયારીમાં છે. નવી પાર્ટી નવેમ્બરમાં નગરપાલિકા ચૂંટણી લડી શકે છે. તેથી આ બંનેની મુલાકાત દરમિયાન તમિલનાડુની રાજનીતિમાં આગામી વ્યૂહરચના પર ચર્ચા થવાની શક્યતા છે.

દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મળેલી માહિતી મુજબ, કેજરીવાલ એક દિવસની ઓફિશિયલ વિઝિટ પર તમિલનાડુ જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ ચેન્નઇમાં તમિલનાડુ સરકારના વર્લ્ડ ક્લાસ કૌશલ વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે. કેજરીવાલ 9 દિવસ સુધી મહારાષ્ટ્રના ઇગતપુરીમાં મેડિટેશન કર્યા બાદ મંગળવારે દિલ્હી પરત ફર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.