Abtak Media Google News

સમસ્ત વઘાસિયા પરિવાર વલારડી દ્વારા અલૌકિક વેરાઈ માતાજીના ભવ્ય મંદિર દિવ્યધામનું ભૂમિપૂજન કરાયું હતું.આ દિવ્યધામનું ભૂમિપૂજન ૬૪ જોગણીઓની ઉપસ્થિતિમાં અને દિવ્યધામ ખાતે ઉપસ્થિત બધા પરિવારજનો દ્વારા મહા આરતી કરીને સોના ચાંદી તેમજ અન્ય ધાતુ માંથી બનાવેલ ત્રિકમ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અને આ મહોત્સવમાં પરિવારજનો તેમજ ભાવિકો જોડાયા હતા.Divydham Bhumipoojan 1આ મહોત્સવ ઉપક્રમે ૨૫૦૦ થી વધારે પરિવારજનોએ વ્યસન મુકિતના સંકલ્પ કર્યા હતા.આગામી સમયમાં આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે.આ મંદિર ૬૦૦૦૦ ચોરસફૂટમાં ૧૧૧૧૧૧ ધનચોરસ ફૂટ સંગેમરમર પથ્થરનો વપરાશ થશે. આ મંદિરના પ્રદીક્ષણા પથ પર ૫૧ શકિત પીઠના દર્શન, કલાત્મક પ્રવેશદ્વાર, કલાત્મક મંડપ હશે.આ મહોત્સવને સફળ બનાવવા માટે સમસ્ત વઘાસીયા પરિવારના પરિવારજનો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.