કાલાવડનાં નવા માર્કેટ યાર્ડ ખાતે તા.૧૦ને ગુરુવારે સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાલાવડ, જામજોધપુર, લાલપુર તાલુકાના તમામ ખેતી સાથે સંકળાયેલા ખેડુત ભાઈઓને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે આ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહિવટી તંત્રએ અપીલ કરી છે. આ સાત પગલા ખેડુત કલ્યાણના કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત સરકારનો કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, ધનસુખભાઈ ભંડેરી (ચેરમેન મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ), પૂનમબેન માડમ (સાંસદ, જામનગર), નયનાબેન પી.માધાણી (પ્રમુખ જિલ્લા પંચાયત-જામનગર), રાઘવજીભાઈ પટેલ (ધારાસભ્ય ગ્રામ્ય જામનગર), ચિરાગભાઈ કાલરીયા (ધારાસભ્ય જામજોધપુર), પ્રવિણભાઈ મુસડીયા (ધારાસભ્ય કાલાવડ) સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
Trending
- Samsungએ Galaxy F15 ભારતમાં કર્યો લોન્ચ….
- તમે શું કહેશો, હાર્દિક પંડ્યા આ ટેણીયાનો વીડીયો જોશે તો શું રીએક્શન આપશે…???
- OnePlusનો Flip ફોન આપશે Samsungને જોરદાર કોમ્પીટીશન…
- 1986ની સાલની રસિદમાં આટલી હતી Royal Enfield Bullet 350ની કિંમત
- Lok Sabha Elections 2024 : જાણો ચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે?
- Vivoએ મોબાઈલ ઇન્ડસ્ટ્રીને આપી એક નવી ભેટ…
- ત્રણ મહિના સુધી બાળકને કેવી રીતે તેડવું જોઈએ?
- ઉનાળામાં ભારતીય રેલ્વે કરશે 9,000થી વધુ મુસાફરીનું સંચાલન