Abtak Media Google News

ભારતભરમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે અને આ વાયરસ ને લઇ છેલ્લા પોણા બે માસથી ભારતભરમાં સરકારે લોક ડાઉન જાહેર કરી લોકોને ધંધા રોજગાર કે ઘર બહાર કામ સિવાય ન જવાની અપીલ કરી છે જેને લઇ આજે સુધીમાં પાન બીડી દુકાનો ખુલ્લી નથી ત્યારે આજે પોણા બે માસથી ધંધાર્થીઓ તથા વેશની લોકો પાન બીડી દુકાનો ખુલવાની રાહ જોઇ રહ્યા છે ત્યારે આ બાબતે આજે કેશોદ ચેમ્બર્સ ઓફ કોમર્સના આગેવાનો ના આગેવાનોએ ડેપ્યુટી કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું. અને સરકારને વિનંતી કરી હતી કે આવા રિટેલ પાન બીડી દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપે ત્યારે ધંધાર્થીઓ તો ધંધાની રાહમાં છે પરંતુ વેશની લોકો પણ આ ધંધા ખુલવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.