Abtak Media Google News

વિદ્યાર્થીના બે જુથ વચ્ચે ખેલાયેલા ધિંગાણામાં હત્યાની કોશિષ અને મારામારીનો ગુનો નોંધાયોતો

શહેરના ડી.એચ. કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓનાં બે જુથ વચ્ચે નજીવી બાબતે થયેલી મારામારીનાં ગુનામાં જેલ હવાલે રહેલા દરબાર જુથના ચાર શખ્સની જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે.

વધુમાં શહેરનાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં નજીવી બાબતે બે વિદ્યાર્થી જુથ વચ્ચે બોલાચાલીમાં બંને પક્ષે થયેલી મારામારીનાં ગુનામાં એ ડીવીઝન પોલીસે હત્યાની કોશિષ અને મારામારીની ફરિયાદ લીધી હતી.

પોલીસે ફરિયાદ નિલેશ સાંગઠીયાની ગુનો નોંધી કુલદિપસિંહે મનોજસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ ગુલાબસિંહ પરમાર, સિધ્ધાર્થસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ વાસુદેવસિંહ ગોહિલ વગેરેનાઓને પોલીસ કોર્ટમાં રજૂ કરતા કોર્ટએ બચાવ પક્ષના વકિલની દલીલને ધ્યાને લઈને જામીન પર મૂકત કરેલો છે.આરોપી વતી વકિલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ જાડેજા, બહાદૂરસિંહ ઝાલા અને શિવરાજસિંહ ઝાલા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.