Abtak Media Google News

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂ પે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

રીપ્યુટ ફૂડ પ્રાઈવેટ લીમીટેડનાં એમ.ડી. કિશોરભાઈ વાછાણીએ જણાવ્યું હતુ કે હાલમાં રાષ્ટ્રહિતાર્થે સમગ્ર નિયમોનુ પાલન કરી ફેકટરીની કામીગરી હાથ ધરવામાં આવી છે. પરંતુ અત્યારની મહામુશ્કેલી મજૂર વર્ગની છે. સ્થાનીક મજૂરો સાથે હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલમાં સામાન્ય દિવસની સરખામણીએ પંદર ટકા જેટલુ કામ થઈ રહ્યું છે. હાલમાં ભારતમાં પાંચથી દશ ટકા કાચો માલ ઉપલબ્ધ છે. ત્યારે ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી રો-કાજુ મળવા મુશ્કેલ બન્યા છે. સામાન્ય ૧૦૦થી ૧૫૦ મજૂરોની જરૂ રીયાત કારખાનામાં રહે છે. પરંતુ હાલમાં ૧૫ લોકો સાથે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. લોકડાઉનના સમય બાદ બિઝનેશને શરૂ કરવા વર્ષ જેટલો સમય લાગી જશે. કારણ કે હાલમાં તેઓનાં રીટેલ કાઉન્ટર અને ડીલરો આજે પણ તેમના કામ બંધ રાખેલ છે. ખાસ તો હાલમાં વેપાર ઉદ્યોગને સરકાર તરફથી આર્થિક સહાયની તાતી જરૂ રીયાત છે.

 

10

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.