Abtak Media Google News

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂ પે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

રવિ વોટર ફલો પંપના મેનેજર રાજેશભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલમાં ફેકટરી ખૂબજ ખરાબ હાલતમા છે. તેઓને જે કાચામાલની જરૂ ર છે. તે હાલમાં નથી મળી રહ્યું તેમનો તમામ કાચોમાલ અમદાવાદ અને રાજકોટ લોકલમાંથી આવે છે. અને હાલમાં અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન હોવાથી માલ મળી રહ્યો નથી.

હાલમાં જે સ્ટોક છે. તેમાંથી જ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં તેઓ માટે ૧૦ દિવસ ચાલે તેટલો જ સ્ટોક છે. હાલમાં ૫૦ ટકા સ્ટાફ સાથે કામગીરી હાથ ધરવામા આવી છે. પરંતુ તેઓ પણ હાલ વતન જવાની તૈયારીમાં છે. તો જો કર્મચારીઓ વતન જશે તો કામગીરી સંપૂર્ણ બંધ થઈ જશે.

012 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.