Abtak Media Google News

બ્રહ્મદેવ સમાજ  સંસ્થા રાજકોટ દ્વારા બહુમાળી ભવન રેસકોષ પાસે દાદા પરશુરામ જન્મોત્સવ નીમીતે આજે સાંજેે ૮ વાગ્યે મહાઆરતી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં બ્રહ્મસમાજની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે લાંબી શીખા ધરાવનાર અને સંસ્કૃતના શ્લોક સારી રીતે બોલી શકનાર અને પરંપરાગત વસ્ત્રોમાં પ્રથમ આવનારને ઇનામ આપી પ્રોત્સાહીત કરાશે. દરેક બ્રાહ્મણ સમાજના ભાઇઓ બહેનોએ ભાગ લેવા અનુરોધ કરાયો છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોને સફળ બનાવવા માટે મીલનભાઇ શુકલની આગેવાનીમાં બ્રહ્મસમાજના યુવાનો લંકે પુરોહિત, નિરજ જોષી, દેવાંગ ઠાકર, સાગર રાવલ, કિશન રાવલ, અલ્પેશ લહેરી, મિતેષ પંડયા સાથે બહેનો રીટાબેન જોષી, વંદના જાની , જાગૃતિબેન ફોરમ જોષી, રીટાબેન લખલાણી વિગેરે કાર્યક્રમો ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.