Abtak Media Google News

આચાર્ય સ્વામી શ્યામનારાયણ સહિત પાંચ સામે પોલીસમાં રાવ

તાજેતરમાં જૂનાગઢના ખોરાસામાં આવેલ તિરુપતિ મંદીરના ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચેનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. તિરૂપતિ મંદિરના આચાર્ય સ્વામી શ્યામનારાયણ આચાર્ય સહીત ૫ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. અને પોલિસ ફરિયાદમાં ટ્રસ્ટના દસ્તાવેજોમાં ટ્રસ્ટીની ખોટી સહીઓ કરી આચાર્યએ મંદિર ઉપર કબ્જો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો આ સમાચાર ની શાહી હજી સુકાઈ નથી ત્યાં શાપુર ધન્વન્તરી પરિવાર ટ્રસ્ટ માં આવી વધુ એક પોલીસ માં ફરિયાદ થતા જુનાગઢ પંથકમાં ચકચાર મચી જવા પામી છે

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ જીલ્લામાં શાપુર (સોરઠ) મુકામે આવેલ ધનવંતરી પરિવાર ટ્રસ્ટ નામના ટ્રસ્ટ માં ખુબ જ ગંભીર પ્રકારના ટ્રસ્ટનાં રેકર્ડમાં ચેડા થયેલ છે તેમજ ફરીયાદી તુષાર સોજીત્રા ને મળેલ માહિતી મુજબ ટ્રસ્ટનાં રેકર્ડ સાથે ચેક ચાક કરી અને તારીખ ૨૩.૦૬.૨૦૧૨ નાં ઠરાવમાં મંત્રીને સહમંત્રી અને સહમંત્રી ને મંત્રી તરીકે ચેક ચાક કરી અને રેકર્ડ સાથે ચેડા થયેલ હોય તેવી દહેશત હોવાની જુનાગઢ પોલીસ વડા તેમજ વંથલી પોલીસ ને ફરિયાદ કરેલ હતી

ઉપરાંત આજ તારીખે ૨૩.૦૬.૨૦૧૨ માં ઠરાવમાં આજીવન ટ્રસ્ટી તરીકે નિમણુક થયેલી ન હોવા છતાં ચેરીટી કચેરીમાં રેકર્ડથી વિરુધ ઠરાવ રજુ કરી ગુનો કરેલ હોય, ઉપરાંત આજ ઠારવામાં કુલ સાત ટ્રસ્ટી નિમણુક પામેલ હોય તેવો ઠરાવ હોવા છતાં આજ દિવસ સુધી કોઈ ફેરફાર રીપોર્ટ રજુ કરેલ નથી.

ઉપરાંત ફરીયાદી તુષારભાઈ સોજીત્રા એ એવી પણ ફરિયાદ કરેલ છે કે એક ટ્રસ્ટી સમાન વ્યવસાય સાથે સંકળાયેલ હોવા છતાં જાણી જોઇને રાજીનામું આપતા નથી.

વિશેષ કે આ ટ્રસ્ટીઓ દ્વારા સામયિક નું આજીવન લવાજમ તથા વાર્ષિક લવાજમ ઉઘરાવેલ હોવા છતાં સામયિક છેલ્લા લાંબા સમયથી બંધ કરી ટ્રસ્ટીઓ દ્વારા ટ્રસ્ટનાં નાણા નો દુરુપયોગ થતો હોય તેવુ ફરીયાદ માં જુકાવ્યુ હતુ .

ઉપરાંત ફરિયાદીને મળેલ માહિતી મુજબ કેટલાક આજીવન ટ્રસ્ટીઓ દ્વારા અગાઉના મિનીટ બુકમાં હંગામી ટ્રસ્ટીઓની નિમણુક કરવા બાબતે ઠરાવથી વિપરીત જઈને મનમાની મુજબ આજીવન ટ્રસ્ટીઓ દ્વારા ખોટું રેકર્ડ બનાવી અને ખોટા ઠરાવો ઉભા કરી અને હંગામી ટ્રસ્ટીઓને અંધારામાં રાખી અને ઠરાવ બુકમાં મિનીટ બુકથી વિરુધ રેકર્ડ ઉભું કરેલ છે ઉપરાંત શૈલેશ્વરાનંદ નામના એક સ્વામીની સહ પ્રમુખ તરીકે નિમણુક થયેલ હતી અને તેનો જનરલ મીટીંગ માં ઠરાવ થયેલ હોવા છતાં આજ દિવસ સુધી આજીવન ટ્રસ્ટીઓ દ્વારા આ હકીકત રેકર્ડ પર નાં આવે તેના માટે તજવીજ કરેલ હતી.

આથી જવાબદારો સામે ઠરાવ થી વિરુધ રેકર્ડ ઉભૂ કરવા ઉપરાંત ટ્રસ્ટનાં ઠરાવ બુકમાં ચેડા કરી અને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૬,૪૨૦,૪૬૭,૪૬૮ તેમજ ૪૭૧, ૪૭૨ હેઠળ ગુનો કરેલ હોય જેથી જવાબદારો સામે કાર્યવાહી કરવા વંથલી પોલીસ તથા ડી.એસ. પી.ને રજૂઆત કરવામાં આવેલ હતી તેમજ તારીખ ૦૫.૦૬.૨૦૧૯નાં  વિશેષ આધાર પુરાવા સહીત વંથલી પોલીસ તથા ડી.એસ.પીને વિશેષ નિવેદન મોકલાવેલ છે તેમજ ચેરિટી કમિશનર,અમદાવાદ-૫૨.સંયુકત ચેરિટી કમિશનરની કચેરી,, રાજકોટ. તેમજ આસી. ચેરીટી કમિશ્નર  જુનાગઢને આધાર પુરાવા સાથે ફરયાદ કરેલ છે અને આ ટ્રસ્ટની સામે ચેરીટી કમિશ્નર પણ ફોજદારી રાહે ગુનો નોધાવી અને કોઈ પણ ફેરફાર રીપોર્ટ મંજુર કરતા પહેલા ફરિયાદીને નોટીસ કાઢી તેમના આધાર પુરાવા ધ્યાને લેવા તાકીદ કરી છે. ટ્રષ્ટોમાં ચાલતી ગોલમાલો ના પગલે ફરીયાદી એ જાગ્રુતતા બતાવી ફરીયાદ કરતા આખાય પંથકમાં ચકચાર મચી જવા પામી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.