Abtak Media Google News

ગુજરાત જ નહી પણ ભારતનું પેરીસ ગણાતું ઓખા બેટ ટાપુ યાત્રા ધામ સાથે પ્રવાસી માટેનું સ્વર્ગ ગણાય છે. દેશ જ નહી પરંતુ વિશ્વનું સવથી પુરાના ધાર્મિક સ્થાનો દ્વારકાધીશ મંદિર, હનુમાન દાંડી, ચોરાસી ધૂર્ણા, પદમતીર્થ જાર્ગત સ્મશાન, હાજીકીરમાણી દર્ગા, જેવી અનેક સ્થાનો જગ પ્રસિધ્ધ છે. અહી ત્યોવહારો અને વેકેશનમાં યાત્રીકો અને પ્રવાસીઓનો ખૂબજ ટ્રાફીક રહે છે

હમણા છેલ્લા બે વર્ષથી અહી સરકાર દ્વારા પુલ બનાવવા કરોડો રૂ‚પીયાની યોજનાઓ બનાવી પ્રજાના પૈસા બરબાદ કરી રહ્યા છે. જયારે છેલ્લા ઘણા વર્ષોથી ઓખા બેટની બંને જેટીની હાલત બિસ્માર બની છે. અહી પાણીના પરબની હાલત અવેળોમાં ફેરવાય છે. તથા ધોમ ધખતા તાપમાં યાત્રીકો જેટીપરથી પસાર થવું પડે છે. અહી શૌચાલયોની હાલત પણ ખંડેર બની છે.

ત્યારે વિકાસ શીલ વડાપ્રધાને અહી ૯.૬૨ કરોડના પુલ બનાવવાની મંજૂરીની મોર મારી અહીની સાચી પરિસ્થિતિનો ખ્યાલ કર્યા વગર અહીથી ત્રીસ કિલોમીટર દૂર દ્વારકા આવી રીમોન્ટ દ્વારા આ પુલનું ઉદઘાટન કરી, આજે તેને પણ સાતથી આઠ મહિના થવા આવ્યા ત્યારે હજુ પણઆ પુલ કયાંથી બનશે કયા પૂરો થશે, કેવો બનશે અને કયારે પ્રારંભ થશે તે કોઈ અધિકારીને કે તંત્રને ખબર નથી અને આ પુલનો પાકો નકક્ષો પણ હજુ સુધી કોઈ પાસે નથી આજે પુલ બને તેને ત્રણ વર્ષ જેટલો સમય લાગે તે દરમ્યાન આ પેન્સીઝર જેટીની પ્રાથમિક સુવિધા વધારવા લોક માંગ ઉઠી છે. અને તુરતમાં અહી પાણીના પરબ તથા શેડ પતરાની તાતી જ‚રીયાત છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.