રતનપર ખાતે ગાયત્રીધામ ગૌ સેવા આશ્રમ (ગૌશાળા) ખાતે ગાયત્રી ઉપાસક, ભાગવત કથાકાર અરવિંદભાઈ પંડયા અને તેના સુપુત્ર સંદીપભાઈ પંડયા દ્વારા ૨૫૦ જેટલી ગૌમાતા, ગૌવંશનો સુંદર નિભાવ થઈ રહયો છે. આ ગૌશાળામાં ગૌમાતાને રહેવા માટે ગમાણની જરૂર ઉભી થતાં કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટના ગૌવતી શુભેચ્છક અને પેઢીઓથી જીવદયા-ગૌસેવાનું સુંદર કાર્ય વિદેશની ધરતી પરથી પણ સતત કરી રહેલા આશાબેન નથવાણી (લેસ્ટર, યુ.કે.)ના ધ્યાનમાં આ વાત મુકાઈ હતી. તેમના સંપર્કો અને સંબંધોથી ગોકાણી પરીવારની પુત્રી ભાવનાબેન તથા ઈલાબેન તથા હાના અને શાન તથા ગોકાણી પરીવાર (લેસ્ટર, યુ.કે.)ના સંપૂર્ણ આર્થિક સહયોગથી નવી સુંદર ગમાણ વિઠ્ઠલદાસ પુરૂષોતમદાસ ગોકાણી અને સવીતાબેન વિઠ્ઠલદાસ ગોકાણીના સ્મરણાર્થે નવો, સુંદર, વિશાળ ગમાણ બનાવી આપવામાં આવ્યો. ભાવનાબેન, ઈલાબેન તથા હાના અને શાન ગોકાણી તથા ગોકાણી પરીવાર (લેસ્ટર, યુ.કે.) પરીવારના આ ગૌસેવા સુંદર સત્કાર્ય બદલ ગાયત્રી ગૌસેવા આશ્રમ ગૌશાળાના અરવિંદભાઈ પંડયા, સંદીપભાઈ પંડયા તેમજ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના આશાબેન નથવાણી, મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી સહીતનાઓએ ઋણ સ્વીકારની લાગણી વ્યકત કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક