શહેરના ખંઢેર વિસ્તારોને હરીયાળા બનાવવા અને લોકો અહીં આવતા થાય તે માટે મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં સ્ટ્રીટ યોજના અમલમાં મુકવામાં આવશે તેમ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના અનેક વિસ્તારો એવા છે કે, જયાં માનવ વસવાટ હોવા છતાં વિસ્તારોનો વિકાસ થયો નથી અને આવા વિસ્તારો ખંઢેર જેવા લાગે છે. આજે ઈંદુભાઈ પારેખ આર્કીટેકટ કોલેજના બાળકોએ સ્ટ્રીટ પોલીસી માટે એક વર્કશોપ યોજયો હતો. જેને ધ્યાનમાં લઈ મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ પોલીસી શહેરભરમાં દાખલકરવા માટે વિચારણા શ‚ કરવામાં આવી છે. ખંઢેર જેવા ભાસ્તા વિસ્તારોમાં સ્ટ્રીટ પોલીસી અંતર્ગત દબાણો દૂર કરાશે. બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાશે, પેવીંગ બ્લોક ફીટ કરાશે, લોકો કચરો ન નાખે તે માટેની વ્યવસ્થા ઉભી કરાશે.
Trending
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ