Abtak Media Google News

સાધુ વાસવાણી મીટ લેસ ડે નિમિત્તે શહેરમાં કતલખાના બંધ રાખવા માંસ, મટન અને મચ્છીના વેંચાણ અને સ્ટોરેજ પર પ્રતિબંધ.

આગામી ૨૫મી નવેમ્બરના રોજ સાધુ વાસવાણી મીટ લેસ ડેની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કત્તલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન અને મચ્છીનું વેંચાણ તથા સ્ટોરેજ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે.

આગામી રવિવારે કત્તલખાના બંધ રાખવાના જાહેરનામાનો ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. જાહેરનામાના ભંગ કરનાર વ્યક્તિ સામે બીપીએમસી એકટ ૧૯૪૯ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.