Abtak Media Google News

હર રાત કી એક સુબહ હોતી હૈ! કોરોના મહામારીરૂપી અંધકાર દૂર થશે જ

રાજકોટ ગુરૂદ્વારાના જ્ઞાની પરમસિંઘજી કોરોનાની મહામારી ના સમયમાં રાજકોટવાસી ઓને તેમનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, સમગ્ર વિશ્વની સાથે ભારતવર્ષ પણ આજે કોવીડ-૧૯ સામે લડી રહયું છે, અને પ્રત્યેક વ્યક્તિ મહામારીથી ભયભીત બની તેમાંથી બહાર આવવાના પ્રયાસો કરી રહયો છે, આજે આપણે કોરોનાના કારણે એટલા ગભરાઈ ગયા છીએ કે, આપણને તેનાથી ભય લાગવા માંડયો છે. તેવા સમયમાં મારે રાજકોટના લોકોને કહેવું છે કે, હર રાત કી એક સુબહ હોતી હૈ ! કોરોના મહામારીરૂપી અંધકાર દૂર થશે અને આ સમય પણ જતો રહેશે.

આ મહામારીથી બચવા માટે સરકાર જે માર્ગદર્શન આપી રહી છે. તેનું આપણે ધ્યાન રાખી સોશ્યલ ડીસ્ટન્સ જાળવીએ, સાબુ – સેનેટાઈઝરથી હાથ સાફ કરતાં રહીએ અને કોઈ પણ ભીડભાડવાળી જગ્યાથી દૂર રહીએ.  કોરોનાથી ગભરાવવાનું જરા પણ નથી. હાલના સમયમાં સરકાર દ્વારા વિનામૂલ્યે કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહયાં છે, ત્યારે આપણે તેનો અચૂક લાભ લઈ આપણો કોરોના ટેસ્ટ કરાવીએ. કોરોનાની દવા બનાવવાનું કાર્ય થઈ રહયું છે, જયાં સુધી કોરોનાની દવા ન શોધાય ત્યાં સુધી કામ સિવાય બહાર ન નીકળીએ. ઘરમાં જ રહેશુ તો સ્વસ્થ રહેશું. અને આપણે સ્વસ્થ રહેશું તો બહુજલ્દી “હારશે કોરોના, જીતશે રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.