Abtak Media Google News

હાલ સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતી વિવાદમાં ફંસાઇ છે. હાલ તો આપણે સૌને લાગ છે કે તેની અસર ફિલ્મ પર થશે પરંતુ શું તમને ખ્યાલ છે વિવાદસ્પદ ફિલ્મો જ વધુ કમાણી કરાવે છે. આવી જ કંઇક વિવાદસ્પદ ફિલ્મોની જો વાત કરવામાં આવે તો શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપુર અને દિલજીત દોસાંજની મલ્ટીસ્ટારર ફિલ્મ ઉડતા પંજાબ આવી હતી જે વિવાદમાં ફસાઇ હતી. પરંતુ ત્યાર બાદ આ ફિલ્મે ૬૦ કરોડની કમાણી કરી હતી.

શાહરુખ ખાનની ફિલ્મ રહીસ તેની પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનને લઇને વિવાદોમાં ઘેરાઇ હતી, તો આ ફિલ્મે ૧૨૮ કરોડની કમાણી કરી હતી.

રણવીર-દિપિકાની ફિલ્મ રામલીલાને પણ સંજય લીલા ભણસાલીએ જ બનાવી હતી. ફિલ્મમાં શાંતિઓને લઇને વિવાદ સર્જાયો હતો, આ ફિલ્મે ૧૧૨ કરોડની કમાણી કરી હતી.

આમીર ખાનની ફિલ્મ ‘પીકે’માં ભગવાનનાં વિષયો પર આધારીત છે, માટે આ ફિલ્મ પર પણ વિરોધ કરનારાઓએ લાંલ આંખ કરી હતી, પરંતુ આ ફિલ્મે ૩૩૭ કરોડની કમાણી કરી હતી.

સુપરહિટ ફિલ્મ ‘એ દિલ હૈ  મુશ્કિલ’ની હાલત પણ મુશ્કિલ થઇ ચુકી હતી જ્યારે આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને કાસ્ટ કરવા અંગે વિરોધ થયો હતો, આ ફિલ્મે ૧૦૬ કરોડની કમાણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.