Abtak Media Google News

બગસરા તાલુકાના હામાપુર ગામે થોડા દિવસો પહેલા એક ગોજારી ઘટના બનવા પામી હતી. તા.૯/૬/૨૦૨૦ ના રોજ એક જ ખેડૂત પરિવારના ૪ સભ્યો પાણીના પ્રવાહમાં ગાડા સાથે તણાય ગયેલા હતાં અને ચારેય વ્યક્તિઓની શોધખોળ કરતા મૃત્યુ પામતા ચારેયની લાશ મળતા તેમને સિવિલ હોસ્પિટલે પી.એમ. માટે લઈગયેલ.

જે બગસરા તાલુકા માટે દુ:ખદ ઘટના બનેલ. આ ઘટનાને ધારી-બગસરા ના પૂર્વ ધારા સભ્ય જે.વી. કાકડીયા દ્વારા મૃતકના પરિવાર જનોને સાંત્વના પાઠવતા સરકાર શ્રી ને શક્ય તેટલી મદદ કરવા રજૂઆતો કરી હતી ત્યારે આજે ચારેય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ચારેય મૃતકના પરિવારને ૧-૧ મૃતક વ્યક્તિ દીઠ ૪-૪ લાખનો ચેક આકસ્મિક સહાયમાંથી રાજ્ય સરકાર માંથી અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે અમરેલી જિલ્લા સાંસદ નારણભાઇ કાછડિયા ધારી-બગસરા ના પૂર્વ ધારા સભ્ય જે.વી. કાકડીયા , ટી.ડી.ઓ. પંચોલી સાહેબ, બગસરા તાલુકા પંચાયતના ડી.કે. કોરાટ, ધીરુભાઈ માયાણી, રમેશભાઈ સતાસીયા, હામાપુર ગામના સરપંચ કે.કે. થાવાણી, બાલુભાઈ સહિતના આગેવાનો હાજર રહી સહાય નો ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.