Abtak Media Google News

‘આજે મારા જીવનનું સૌથી મોટું નુકસાન છે’ તેવું ટવીટ કરી શકિતસિંહએ આપ્યા દુ:ખદ સમાચાર

ગુજરાત વિધાનસભાનાં પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલનાં માતુશ્રી રાજેન્દ્રબા હરેશચંદ્રસિંહ ગોહિલનું ૮૮ વર્ષની વયે સવારે દુ:ખદ અવસાન થયું છે. ‘આજે મારા જીવનનું સૌથી મોટું નુકસાન છે’ તેવું ટવીટ કરી શકિતસિંહએ પોતાની માતાનાં નિધનનાં દુ:ખદ સમાચાર આપ્યા હતા. સવારે અમદાવાદ સ્થિત શકિતસિંહનાં નિવાસ સ્થાન ખાતે રાજેન્દ્રબાનું દુ:ખદ અવસાન થયું હતું. તેમનો પાર્થિવદેહ માદરે વતન લીમડા (હનુભા) ખાતે લઈ જવામાં આવ્યો હતો જયાં બપોરે તેઓનાં પાર્થિવદેહની અંતિમવિધિ કરવામાં આવી હતી જેમાં ખુબ જ મર્યાદિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. શકિતસિંહનાં માતુશ્રીનાં નિધન થયા હોવાની જાણ થતા ભાજપ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓએ તેઓને સાંત્વના પાઠવી અને દુ:ખ વ્યકત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.