Abtak Media Google News

કોંગ્રેસ જનતાને ‘DOG’ માને છે, ભાજપ ‘GOD માને છે

કોંગ્રેસને ઝાટકતા પ્રદેશ ભાજપ પ્રવકતા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્ર્સ પ્રમુખ અમિત ચાવડાએ પોતાનાં ટવીટર પર મુકેલ વિડીયોમાં કોંગ્રેસે પોતાનાં  વિચાર, આચાર અને વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસે પોતાના ૫૫ વર્ષના કુશાસનમાં જે પણ કર્યું છે. તે પ્રદર્શિત કર્યું છે. કોંગ્રેસ પબ્લીકને શું માને છે ? કેવી રીતે જાણે છે અને તેની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. તેનું પ્રતિબિંબ આ વિડીયોમાં જોવા મળે છે. કોંગ્રેસે પબ્લીકને ડોગ સાથે સરખાવીને પબ્લીકનું અપમાન કર્યું છે, કોંગ્રેસ પબ્લીકને ડોગ તરીકે માને છે, જ્યારે ભાજપ પબ્લીકને ગોડ માને છે. કોંગ્રેસ-ભાજપમાં આટલો ફર્ક જોવા મળે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, ૧ રૂ. પબ્લીકને મોકલું છું અને નીચે, જનતાને માત્ર ૧૫ પૈસા પહોચે છે. એટલે કે, ૮૫ ટકાનો ભ્રષ્ટાચાર થતો હતો. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દરેક લાભાર્થીના પૈસા સીધાં ખાતામાં જમા થાય છે. ગઈકાલે જ કોરોનાની મહામારીમાં પણ રૂ. ૫૨,૬૦૬ કરોડ રૂ. ડીબીટી દ્વારા કરોડો લાભાર્થીઓના ખાતામાં જમા થયાં છે. કોંગ્રેસે પોતાના શાસનમાં દેશને અને જનતાને લૂંટે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં જનતાનાં પૈસા જનતા સુધી પહોંચે છે. મોકલેલ પૈસા ૧૦૦% સીધા બેંક એકાઉન્ટમાં જમા થાય છે. આ વાત જનતા  સારી જાણે છે. તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.