Abtak Media Google News

જામજોધપુરમાં ચિમનભાઈ સાપરીયાની તરફેણમાં હકડેઠઠ ભીડ વચ્ચે કેન્દ્રીયમંત્રી પુરુષોતમ રૂપાલાની જાહેરસભા યોજાઈ

નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં અને ગુજરાતમાં જે રીતે વિકાસ સાધ્યો છે તેવા વિકાસ કાર્યોની કોંગ્રેસ સપનામાં પણ કલ્પના કરી શકતી નથી એવું કેન્દ્રના કૃષિમંત્રી અને તેજાબી વકતા પુરુષોતમ રૂપાલાએ જામજોધપુર ખાતે એક જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું.

જામજોધપુર-લાલપુર બેઠકના ભાજપના ઉમેદવાર ચિમનભાઈ સાપરીયાના પ્રચાર અર્થે સહકારી મંડળીના મેદાનમાં યોજાયેલી જંગી સભાને પુરુષોતમ રૂપાલાએ સંબોધી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતનો છેલ્લા બે દાયકાનો વિકાસ ઉડીને આંખે વળગે છે. નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ગયા એ પછી દેશને વિકાસના પથ પર દોડતો કર્યો છે. કોંગ્રેસ વિકાસની આવી કલ્પના પણ કયારેય કરી શકે નહીં.

ભારે ટાઢોડામાં પણ મતદારો મોટી સંખ્યામાં પુરુષોતમ રૂપાલાને સાંભળવા આવ્યા હતા. ‚પાલાએ કોંગ્રેસને આડે હાથ લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચિમનભાઈ સાપરીયાને વિજેતા બનાવી ગુજરાતમાં ફરી એક વખત જંગી બહુમતીથી ભાજપને વિજયી બનાવવા હાંકલ કરી હતી. જેનો મતદારોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો.

સભામાં ચિમનભાઈ સાપરીયા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, એડવોકેટ એચ.કે.અજુડીયા, મુળુભાઈ બેરા, શહેર અને તાલુકા ભાજપના આગેવાનો અને મોટી મેદનીની ઉપસ્થિતિ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.