Abtak Media Google News

૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પક્ષનો જવલંત વિજય થશે : ડો. ઉપાધ્યાય

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનથી દેશે અનેક શિખરો સર કર્યા છે. વિશ્વાસ પણ ભારતની ગણના થવા લાગી છે. ભારતના ર૯ રાજયોમાંથી ર૧ રાજયોમાં દેશના મતદારોએ ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ મૂકી શાસનની ધૂરા સોંપવામાં આવે છે. નરેન્દ્રભાઇના કોંગ્રેસ મુકત ભરતના સ્વપ્ન તરફ આગળ વધી રહેલ છે. તેમ મેયર ડો. જૈમન ઉપાઘ્યાયે જણાવ્યું હતું.

કર્ણાટકમાં યોજાયેલ ચુંટણીના આજરોજના પરિણામ જોતા ત્યાંના મતદારોએ પણ કોંગ્રેસને જાકારો આપી ભારતીય જનતા પક્ષનો જય જયકાર કરાવેલ છે. ભારતીય જનતા પક્ષના આ વિજય બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવે છે.

કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની સરકારના ૪ વર્ષના શુશાસનને કર્ણાટકના મતદારોએ મંજુરીની મહોર મારેલ છે.

કર્ણાટકનું આ પરિણામ ફકત ઝાંખી છે. ૨૦૧૯માં આગામી લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પક્ષને દેશના મતદારો જંગી બહુમતીથી સત્તા સોંપશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.