ઇએમઆરઆઈ અને જિલ્લા આરોગ્ય તથા વહીવટી તંત્રના નેજા હેઠળ ૧૦૮ ઈમરજન્સી સેવા ચાલી રહી છે અને કોરોનાના કપરાં સમયમાં પણ જીવના જોખમે ૧૦૮ માં ફરજ બજાવતા પાયલોટ તથા ઇએમતી તબીબો દ્વારા દર્દીઓની સમયસરની અને પૂરી કાળજી સાથે સેવા અપાઈ રહી છે, ત્યારે છેલ્લા ૩ માસ દરમિયાન સવિશેષ સેવા આપનાર ૧૦૮ ના કર્મીઓની સેવા બિરદાવવામાં આવી હતી, અને સન્માનિત કરાયા હતા. જુનાગઢના ૧૦૮ ના જિલ્લા અધિકારી વિસ્તૃત જોશીએ કોરોના ના કપરા કાળમાં છેલ્લા ત્રણ મહિનાની કામગીરીમાં સુંદર કામગીરી કરનાર ભેસાણ લોકેશનમાં પાયલોટ ભરતભાઈ નંદાણીયા, ઇએમટી દિવ્યાબેન ગોસાઈ, માણાવદર લોકેશનમાં પાયલોટ જસ્મીનભાઈ બાલાસર અને ઇએમટી જયદીપ ભાઈ દવેની ફરજ, સેવાને બિરદાવી હતી અને ઈએમ કેર એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક