Abtak Media Google News

જસદણના પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા ભાજપમાં મંત્રી બનતાં જ જસદણ અને વિંછીયા પંથકનું રાજકારણ ગરમાં ગરમ રાખી રાજકીય ડીઝાઈનરો પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે ત્યારે ગુરુવારે કુંવરજીભાઈ બાવળીયાની નજીકના કડવાભાઈ જોગરાજીયા એ અને અન્યોએ અચાનક રાજીનામા આપી દેતા કોંગ્રેસમાં ફરી ભંગાણ પડયું છે.

આગામી તા.૪ નવેમ્બરના રોજ કોંગ્રેસએ ખેડુત સંમેલન બોલાવવાનું નકકી કર્યું જેમાં ગુજરાતભરના કોંગ્રેસી નેતાઓ આવવાના હોય તે પૂર્વે વિંછીયા યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયાએ કોંગ્રેસમાંથી તબિયતનું બહાનું કાઢી રાજીનામું આપતા અનેક તર્ક-વિર્તકો સર્જાયા છે. અત્રે એ નોંધનીય છે કે રાજીનામું આપનારા કડવાભાઈ જોગરાજીયા વર્ષોથી કોંગ્રેસમાં છે અને અનેક હોદાઓ મેળવી ઠાઠમાઠથી રહે છે. હાલમાં પણ તેમની પાસે વિંછીયા યાર્ડના ચેરમેનનો હોદો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.