Abtak Media Google News

કામ પૂર્ણ થતાં જામનગર અને મોરબીને પાઇપલાઇન મારફતે પાણીની સપ્લાય શરૂ થશે

મોરબીના ખીરી ગામ પાસે ગઈકાલે નર્મદાની લાઈન તૂટી ગઈ હતી. જેનું રીપેરીંગ કામ હાલ પૂર્ણ થઈ ગયું છે. આ લાઈન મારફતે ફરી પાણી સપ્લાય શરૂ લરી દેવામાં આવશે.

ગઈકાલે ખીરી ગામ પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. આ લાઈન મારફત મોરબી શહેર અને જિલ્લાને ૧૦ એમએલડી જેવો પાણીનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. આ લાઈન વડે જામનગર સુધી પણ પાણીનું સપ્લાય થાય છે. ગઈકાલે લાઈન તૂટી જતા રિલાયન્સ અને એસ્સાર માટે પાણી કાપ રાખવામાં આવ્યો હતો. જ્યારે નગરજનોને હડાણાથી પાઇપલાઇનનું જોડાણ કરીને પાણીની સપ્લાય કરવામાં આવી હતી.

નર્મદાની આ લાઈન ગઈકાલે બપોરે ૧ વાગ્યાના અરસામાં તૂટી હતી. જેની જાણ થતાં જ સંબંધીત તંત્ર કામે લાગી ગયું હતું. આખી રાત રીપેરીંગની કામગીરી ચાલુ હતી. હાલ આ રીપેર થઈ જતા પાણીની સપ્લાય શરૂ કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.