કેશોદમાં લુખ્ખા અને આવારા તત્વોનો ત્રાસ વધતો જાય છે અને આવા અસામાજીક તત્વોને પોલીસ કે કાયદાનો જરાપણ ડર નથી તેને લઈ આવા લુખ્ખા તત્વો ગતરાત્રીના શહેરના શરદ ચોકમાં જુના મનદુ:ખના કારણે અમિત રમેશભાઈ બોરીચાને લાકડી ધોકા જેવા હથિયાર વડે સહેલાઝ મહીડા નામના શખ્સે હુમલો કરતા આ યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ત્યારે આ હુમલાના વિરોધમાં તેમજ કેશોદમાં વધતા જતા અસામાજીક તત્વોના ત્રાસ સામે કેશોદના વેપારી મહામંડળના ૫૦૦ જેટલા વેપારીઓ રેલી કાઢી દુકાનો બંધ કરાવવા માટે નિકળતા કેશોદની બજારો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને વેપારીઓએ લુખ્ખાઓના ત્રાસથી કંટાળી ગયો છે અને કાયદો અને વ્યવસ્થાના સુધારા માટે આજે કેશોદ સજજડ બંધ રાખેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો