Abtak Media Google News

ગોંડલ ઉઘોગ ભારતી સંચાલીત ખાદી તીર્થનું ઉમિયા મંદિર સીદસર ખાતે ઉદધાટન કરવામાં આવ્યું છે.

ઉદ્યોગ ભારતી ગોંડલ સંચાલિત ખાદી ગ્રામોદ્યોગ વેચાણ કેન્દ્ર ખાદી તીર્થ નું ઉમીયા મંદિર સિદસર  ખાતે ઉદ્દઘાટન તાજેતરમાં  સાંસદ રમેશભાઈ ધડુંક, પૂર્વ મંત્રી ચીમનભાઈ સપરિયા, ખાદી કમિશન ના સ્ટેટ ડાયરેક્ટર સંજય હેડાઉ, ગોંડલ નગરપાલિકા ના રાજભા જાડેજા, ઉદ્યોગભારતી સંસ્થાના પ્રમુખ મધુસૂદનભાઈ દોગા વિગેરી ની હાજરીમાં કરવામાં  હતું. મંદિર ના સુંદર પરિસર માં આવતા યાત્રાળુઓને ગોંડલ ની પ્રખ્યાત ખાદી મળી રહેશે અને ખાદી ગ્રામોદ્યોગ વસ્તુઓના સ્વદેશી વેચાણ ને વેગ મળશે.

ગોંડલ સાયકલ કલબ ના મિત્રો ખાદી વસ્ત્રો થી સજ્જ ખાસ ઉપસ્થિત રહેલ અને લોકોને ખાદી ખરીદવા ખાસ આકર્ષિત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.