Abtak Media Google News

કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે અગાઉ અનિર્ણયિત રહેલ રિકવિઝેશન બોર્ડ બેઠકમાં ભાજપે 27 સભ્યોએ બહુમતી માટે મતદાન કર્યું !

મોરબી નગર પાલિકામાં ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે તા. ૧ માર્ચના રોજ મળેલી  બેઠકમાં ભાજપના ૧૭ અને કોંગ્રેસના ૨૪ સભ્યોની હાજરી વચ્ચે એજન્ડા મોડો મળ્યાનો બચાવ કરી ભાજપે બોર્ડ મુલતવી રાખ્યા બાદ ગઈકાલે પુનઃ બોર્ડ માંડ્યું હતું. જેમાં શાસક પક્ષના બળા બળીના પરખા થવા ઉપરાંત કોંગ્રેસે સટાસટી બોલાવવા મન બનાવી લીધું હોય તેમ બોર્ડમાં સત્તા પક્ષને બાનમાં લેવા પ્રયત્ન કર્યા હતા પરંતુ બોર્ડ શરૂ  થાય તે પહેલા કોંગ્રેસના સભ્યોએ કલેક્ટરને મળી અગાઉ મળેલી રિકવિજેશન બેઠકના અધૂરા મુદ્દાની ચર્ચા કરવા અને હાલના એજેન્ડા ૭ દિવસ પહેલા ન મળતા આ એજેન્ડા પર સ્ટે લાવ્યા હતા જેથી ગઈકાલે  પાલિકાના જનરલ બજેટ સહિતના અન્ય ૫  મુદ્દાની ચર્ચા થઇ ન હતી અગાઉના એજેન્ડાની ચર્ચા દરમિયાન કોંગ્રેસે વોક આઉટ કર્યો હતો.
Img 20180309 Wa0042પ્રાપ્ત વિગતો મુજબ  મોરબી પાલિકાની ૧ માર્ચના રોજ મળેલી રિકવિઝેશન બેઠકમાં ભાજપના માત્ર ૧૭ સભ્યોની હાજરીમાં કોંગ્રેસના બહુમત ૨૪ સભ્યો દ્વારા હંગામો મચાવી સતાધારી ભાજપને ભીંસમાં લેવામાં આવતા બેઠક અનિર્ણયિત રહી હતી અને આજે  ૯ મી માર્ચે પુનઃ બોર્ડ બેઠક યોજવા નક્કી કરાયું હતું જે અંતર્ગત હવે કોંગ્રેસ દ્વારા શાસક પક્ષે બહુમતી ગુમાવ્યાનો આરોપ લગાવી બહુમત સાબિત કરવા હંગામો મચવવા નક્કી કર્યું હતું.
Img 20180309 Wa0043ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા રિકવિઝેશન બેઠક બોલાવવા માંગ કરવા છતાં બબ્બે માસથી બોર્ડ બેઠક ન બોલાવતા અંતે જિલ્લા કલેકટરના આદેશ બાદ ગઈકાલે રિકવિઝેશનની અધૂરી બેઠક બોલાવવામાં આવી હતી, આ અગાઉ ભાજપના સભ્યો જ બેઠક માં હાજર હોય એજન્ડા સમયસર ન મળ્યાનું કારણ આગળ ધરી  બોર્ડ બેઠક આટોપી લેવામાં આવી હતી. ત્યારે ગઈકાલે મળેલી બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર હાવી થવા  પ્રયત્ન કરે તેવી સંભવના હતી પરંતુ બેઠક મળે તે પહેલા વિપક્ષના સભ્યો કલેક્ટરને મળ્યા હતા અને હાલ સત્તાધારી પક્ષે આજની બેઠક માટેના એજેન્ડા ૭ દિવસ પહેલા આપવાના હોય છે પરંતુ તે સમય મર્યાદામાં એજેન્ડા આપયો નથી તેમજ અગાઉની રિકવિજેશન બેઠકના પણ અધૂરા મુદ્દા લેવા માંગણી કરતા કલેકટરે ગઇકાલનીની બેઠકના એજેન્ડા પર સ્ટે મૂકી જુના મુદ્દાની પ્રથમ ચર્ચા કરવા આદેશ કર્યો હતો.
જિલ્લા કલેકટરના આદેશને પગલે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસરના માર્ગદર્શનમાં જનરલ બોર્ડમાં રોડ, સફાઈ અને અન્ય કામમાં કોંગ્રેસના ભ્રષ્ટચાર મુદ્દે બને પક્ષે ચર્ચા કરી હતી.આ દરમિયાન કોંગ્રેસે વોક ઓઉટ કર્યો હતો બાદમાં સતા પક્ષે વિપક્ષના બોર્ડ લઘુમતી અને વિવિધ સમિતિના વિસર્જન મુદ્દે  મતદાન કર્યું હતું જેમાં ૨૭ સભ્યોએ મતદાન કરી બહુમતી સાબિત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.