ગુજરાતવાસીઓને છેલ્લા બે દિવસથી ઠંડીમાં આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ ઠંડીમાં થોડો ઘટાડો થશે.આજે રાજકોટનું લઘુતમ તાપમાન પણ ૧૩.૬ ડિગ્રી નોંધાયું હતું અને નલીયાનું પણ તાપમાન થોડુ ઉંચકાયું છે અને ૮.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૬ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને ૯ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જયારે નલીયાનું લઘુતમ તાપમાન ૮.૫ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૭.૭ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા અને ૧ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જયારે સૌરાષ્ટ્રનાં ગીરમાં લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી અને મહતમ તાપમાન ૧૪.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને ૨.૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૪૮ કલાકમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત છે જોકે ઉતર-પૂર્વથી પૂર્વની દિશાનો પવન છે જેના કારણે દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને સૌરાષ્ટ્રનાં ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેને લઈને ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સાંજના સમય બાદ ઉતર-૫ૂર્વની દિશામાં પવન ફુંકાતા ઠંડીના ચમકારાનું પ્રમાણ વઘ્યું છે જોકે ગુજરાતવાસીઓને ઠંડીમાંથી આંશિક રાહત મળશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
Trending
- IPL 2024 : SRH vs MIના મેચમાં તૂટ્યા આ રેકોર્ડ્સ…
- અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં ભાગીદારી વધારી
- Godzilla x Kong બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર…….
- વાંકાનેરના દિઘલીયા ગામે માતા-પિતા અને બહેનના હાથે પ્રેમાંધ સગીરાની હત્યા
- ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે 2 એપ્રિલ અને ફાર્મસીમાં 9મીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન
- કાળઝાળ ગરમી: અમરેલી 41.6, રાજકોટનું 41.3 ડિગ્રી તાપમાન
- તમે પણ હોઠ પર દરરોજ લિપસ્ટિક લગાવો છો!!!
- દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો