Abtak Media Google News

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે. અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આવેલા ચેવા ઉલ્લારમાં ગુરુવારે સાંજથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આતંકીઓના સંતાયા હોવાના ઈનપુટ મળતા સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ પહેલા ગુરુવાર સવારે બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં 2 આતંકી ઠાર માર્યા હતા.

જમ્મુ કાશ્મીરમાં આ મહિનામાં 15 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 44 આતંકી ઠાર મરાયા છે. આતંકીઓની મદદ કરતા લોકોની શોધખોળ પણ ચાલી રહી છે. બડગામના નરબલ વિસ્તારમાં બુધવારે આર્મી અને પોલીસે કાર્યવાહી કરીને લશ્કર-એ-તૈયબાના 5 મદદગારની ધરપકડ કરી લીધી હતી. તેમની પાસે AK-47 રાઈફલ, 28 રાઉન્ડ ગોળીઓ અને લશ્કર-એ-તૈયબાના 20 પોસ્ટર મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.