Abtak Media Google News

મહેશભાઈ રાજપુત દ્વારા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના બાળકોને ભોજન કરાવાયું

શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ  મહેશભાઇ રાજપુત  દ્વારા આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા, ભારત રત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. રાજીવ ગાંધી ની ૭૬ મી જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ અને ફૂલહાર કરવામાં આવ્યા હતા. તેમજ  શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપુત દ્વારા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતુ.

શહેર કોંગ્રેસ સમિતિની યાદી જણાવે છે કે તા.૨૦ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા, ભારત રત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. રાજીવ ગાંધી ની ૭૬ મી જન્મજયંતી  નિમિતે  પુષ્પાંજલિ અર્પણ અને ફૂલહાર કરવામાં આવ્યા હતા.

Dsc 0280

સ્વ. રાજીવ ગાંધી જન્મજયંતી એ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના દ્વારા પક્ષીઓને ઘઉં નું ચણ આપવામાં આવ્યું તેમજ બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવી અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અધ્યક્ષ સ્થાને સ્વ. રાજીવ ગાંધી ની ૭૬ મી જન્મજયંતી નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું.  મહેશભાઈ રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું કે સ્વ. રાજીવ ગાંધી દેશભક્ત અને દૂરદર્શી વ્યક્તિ હતા અને જેમની દુરદેશી નીતિઓએ દેશના નિર્માણ માં મદદ કરી.

આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના  પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા પૂર્વ પ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ આગેવાન પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ મકવાણા, દિનેશભાઈ ચોવટિયા, ધરમભાઇ કામલીયા, નીદતભાઈ બારોટ, મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા વગેરે આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.