Abtak Media Google News

શહેર કોંગ્રેસ સમીતી દ્વારા તાજેતરમાં વોર્ડ વાઇઝ કોંગ્રેસ પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું. વોર્ડ નં.૩ અને ૧૧માં રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતની અઘ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતું. અને આ સ્નેહમીલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશકોંગ્રેસ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ આગેવાન અને નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના પૂર્વ વાઇસ ચેરમેન  પ્રદીપભાઇ ત્રિવેદી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રાજદીપસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા અતુલ રાજાણી રાજકોટ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ચેરમેન યુનુસભાઇ જુનેજા તેમજ વોર્ડ નં. ૩ અને ૧૧ માં વોર્ડ વાઇઝ સ્નેહમીલનમાં વોર્ડના હોદેદારો અને કાર્યકર્તાઓ આ સ્નેહમીલનમાં વોર્ડ નં.૩ માં છાપરુ હોલ, સિંધી કોલોની, જલારામ બેકરી સામે, રાજકોટ ખાતે અને ૧૧ માં ૪૦ ફુટના રોડ, જ્ઞાન સૌરભ સ્કુલની સામે, પટેલનગર વાડી રાજકોટ ખાતે સ્નેહમિલન યોજવામાં આવેલ હતું.

આ સ્નેહમીલન કાર્યક્રમમાં ર્વો નં. ૩ માં વોર્ડ પ્રમુખ ગૌરવભાઇ પુજારા, કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી, ગીતાબેન પુરબીયા કોંગ્રેસ આગેવાનો મુમતાઝબેન ખીયાણી, હીનાબેન શેખ, યોગીતાબેન વાડોલીયા, યાસ્મીનબેન, ન્યાલચંદભાઇ આત્મારામભાઇ, અતુલભાઇ ચોકસી, સુનીલભાઇ મોદી વગેરે બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૧૧ માં વોર્ડ પ્રમુખ કેતનભાઇ વાળા, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઇ હરસોડા, વસંતબેન માલવી, પારુલબેન ડેર, કોંગ્રેસ આગેવાનો વાલજીભાઇ લકકડ, મથુરભાઇ માલવી, પ્રકાશભાઇ વેજપરા, વિપુલ તારપરા, વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.