Abtak Media Google News

 ભાજપા સરકાર દ્વારા માતૃવંદના અને બેટી બચાવોના સૂત્રને સાર્થક કરવા પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠલ શહેર ભાજપ મહિલા મોરચાનો પ્રવાસ યોજાયો હતો. જેમાં ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહિલા મોરચાના અગ્રણી બીનાબેન આચાર્ય, મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ સહિતના આ પ્રવાસમાં જોડાયા હતા. વહેલી સવારે મહિલા મોરચાના બહેનો ખોડલધામ સહિતના ધાર્મિક સ્થળોના પ્રવાસે રવાના થયા હતા. પ્રવાસની વ્યવસ્થા મહામંત્રી કિરણબેન માકડીયા, પુનીતાબેન પારેખે સંભાળી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.