Abtak Media Google News

દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોમાં આગ લાગવાની મોટી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે સવારે દિલ્હીમાં CGO કોમ્પલેક્ષમાં દીનદયાળ અંત્યોદય ભવનમાં સવારે 8 કલાકે આગ લાગ્યા બાદ 8.34 કલાકે આગ લાગી હોવાની જાણ થઈ હતી. આ આગ ઈમારતનાં પાંચમા માળે લાગી હતી. આગ બુઝાવવા માટે 24 આગકર્મીઓની ગાડીઓ રેસક્યૂ કરી રહી છે. હાલ આગ પર નિયંત્રણ મેળવામાં આવ્યું છે.

પ્રાથમિક જાણકારી પ્રમાણે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં CISFનો એક જવાન પણ ઘાયલ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.