Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લામા શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા સ્વ.સૈનિકોના સંતાનો સ્કોલરશીપ મેળવવા અરજી કરી શકશે.

Fmgus7Hu

સેવા દરમ્યાન કે નિવૃતી બાદ શારીરીક ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકો કે જેઓ કોલેજ અને એન્જીનિયરીંગ/એમ.ડી/બીબીએ/એ.બી.એ વગેરેમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓને AWWA તરફથી દરેક કમાન્ડમાં સૌથી વાધારે તેજસ્વી એવા એક સંતાનને રૂા.૫૦૦૦૦ અને કે શારીરીક ક્ષતિગ્રસ્ત થયેલા સ્વ.સૈનિકોના સંતાનોને રૂા.૧૦૦૦૦૦ આપવામાં આવે છે.

આ સ્કોલરશીપનો લાભ મેળવવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા શારીરીક ક્ષતીગ્રસ્ત પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના પરિવારના બાળકોએ awwa.org.in ની વેબ સાઈટ ઉપરથી માહિતી મેળવી અરજી કરવાની રહેશે. વધારે જાણકારી માટે ફોન નંબર ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.