Abtak Media Google News

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ૨૮ના રોજ રાજકોટ શહેરના પ્રવાસે આવી રહયા છે.મુખ્યમંત્રી રૂપાણી ૨૮ ઓગષ્ટે સવારે ૧૦.૩૦ વાગ્યે  સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે ૧૨.૩૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સ્વામીનારાયણ મંદીર કાલાવાડ રોજ રાજકોટ ખાતે ઉજ્જવલા યોજના ના લાભાર્થીને કીટ વિતરણ કરાશે. બપોરે ૩.૩૦ કલાકે મુખ્યમંત્રી રૂપાણી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયારોડ ખાતે એફ.એસ.ટી/જી.એસ.ટી. અંગેના કાર્યક્રમમાં હાજરી આપશે.બપોર બાદ સાંજે ૫.૦૦ કલાકે  મુખ્યમંત્રી રૂપાણી છોટુનગર ખાતે દેવીપૂજક સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે ૭.૦૦ કલાકથી રાજકોટ ખાતે અલગ અલગ જગ્યાએ આવેલ ગણપતિ મહોત્સવમાં હાજરી આપી અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.